ગુજરાતની ખાલી પડેલી બેઠકો માટે BJPએ રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જિતેન્દ્ર કંજારિયાને મેદાનમાં ઉતાર્યા છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની ૨૭ બેઠકો માટે જાહેર કરાયેલા કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુરુવારે પોતાના દિગ્ગજ ઉમેદવારોનાં નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. BJPએ ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશ સહિતનાં રાજ્યો માટે પોતાનાં પત્તાં ખોલ્યાં છે.
ગુજરાતની ખાલી પડેલી બેઠકો માટે BJPએ રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જિતેન્દ્ર કંજારિયાને મેદાનમાં ઉતાર્યા છે. એ ઉપરાંત અન્ય રાજ્યોના મોટા ચહેરાઓમાં રાજસ્થાનમાંથી સતીશ પૂનિયા અને અલકા ગુર્જર, જ્યારે મધ્ય પ્રદેશમાંથી રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ અને રજનીશ અગ્રવાલને ટિકિટ આપવામાં આવી છે. અરુણાચલ પ્રદેશથી તાઈ તગાક, મણિપુરથી એ. શારદાદેવી અને ઓડિશાની પેટાચૂંટણી માટે દેબાશિષ સામંતરાયનાં નામ પર મહોર મારવામાં આવી છે. ૧૮ જૂને મતદાન અને એ જ દિવસે પરિણામ જાહેર કરી દેવામાં આવશે.
